Income Tax Latest News: ઈનકમ ટેક્સ (income tax) ભરનારાઓ માટે મહત્ત્વના સમાચાર છે. મિડલ ક્લાસથી લઈને તમામ વર્ગો માટે ઈનકમ પર લાગતો ટેક્સ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ (FM Nirmala Sitharaman) એ ટેક્સને લઈને મોટી માહિતી આપી છે. કેન્દ્ર સરકાર (Central Government) એ જણાવ્યું છે કે કઈ પ્રકારની આવક પર એક રૂપિયાનો પણ ટેક્સ નહીં લાગે? આ અંગે સંપૂર્ણ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. તેમજ આ વખતે બજેટમાં સરકાર ટેક્સપેયર્સને મોટી રાહત આપવાનું વિચારી રહી છે.
નહીં લાગે એક પણ રૂપિયા ટેક્સ
આપને જણાવી દઈએ કે આમ તો 2.5 લાખ રૂપિયા સુધીની ઈનકમ ટેક્સ ફ્રી છે, પરંતુ આ સિવાય પણ ઘણી એવી આવક છે, જેના પર તમારે એક પણ રૂપિયો ટેક્સ ચૂકવવો પડતો નથી. ચાલો આપને જણાવીએ કે તમારી કઈ ઈનકમ ટેક્સ ફ્રી છે.
ગ્રેચ્યુટી પર નથી લાગતો ટેક્સ
જો કોઈ સંસ્થામાં નોકરી કરનાર વ્યક્તિ 5 વર્ષ પછી તેની કંપની છોડી દે છે, તો તેને ગ્રેચ્યુટીનો લાભ મળે છે. આ રકમ સંપૂર્ણપણે ટેક્સ ફ્રી હોય છે. જો આપણે સરકારી કર્મચારીઓની વાત કરીએ તો તેમની 20 લાખ સુધીની રકમ ટેક્સ ફ્રી છે. તે જ સમયે, ખાનગી કર્મચારીઓની 10 લાખ સુધીની રકમ ટેક્સ ફ્રી હોય છે.
PPF અને EPS પર નહીં લાગે ટેક્સ
આ સિવાય PPF ના રૂપિયા પર પણ કોઈ ટેક્સ નથી લાગતો. તેના પર મળતું ઈન્ટરેસ્ટ, મેચ્યોરિટી પીરિયડ પૂર્ણ થવા પર મળેલી રકમ, ત્રણેય ટેક્સ ફ્રી છે. તેની સાથે, જો કર્મચારી 5 વર્ષ સુધી સતત કામ કર્યા પછી પોતાનો EPF ઉપાડી લે છે, તો તેણે આ રકમ પર પણ ટેક્સ ચૂકવવો પડશે નહીં.
આ પ્રકારની ભેટો પર પણ નહીં લાગે ટેક્સ
આ સિવાય જો તમને તમારા માતા-પિતા પાસેથી કોઈ પારિવારિક સંપત્તિ, રોકડ અથવા ઘરેણાં મળ્યા છે, તો તે ટેક્સમાંથી મુક્ત છે. આવી ભેટો પર કોઈ ટેક્સ નથી લાગતો. જો તે તેના માતા-પિતા પાસેથી મળેલી રકમનું રોકાણ કરીને કમાણી કરવા માંગે છે, તો તેણે તેમાંથી મળેલી આવક પર ટેક્સ ચૂકવવો પડશે.