નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના ક્રિકેટર વિરાટ કોહલી બાંગ્લાદેશ પ્રવાસ બાદ બ્રેક પર છે. કોહલી હાલમાં પત્ની અનુષ્કા શર્મા અને પુત્રી વામિકા સાથે દુબઈમાં રજાઓ માણી રહ્યો છે. વિરાટે વર્ષ 2022 ના છેલ્લા દિવસે અનુષ્કા સાથે ખૂબ જ રોમેન્ટિક તસવીર શેર કરી છે, જેમાં પુત્રી વામિકા તેની બાહોમાં છે. કોહલીએ પોતાની આ તસવીર સાથે લખ્યું, ‘આ 2022નો છેલ્લો સૂર્યોદય છે.’

વિરાટ સિવાય અનુષ્કા શર્માએ પણ વિરાટ સાથેની પોતાની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરમાં તેમની પાછળ બુર્જ ખલીફા દેખાય છે, જે દર્શાવે છે કે આ બંને કપલ દુબઈમાં રજાઓ માણી રહ્યાં છે.

વિરાટ કોહલીએ બાંગ્લાદેશ પ્રવાસ પર વનડે સીરીઝમાં જોરદાર રમત દેખાડી હતી. અહીં તેણે પોતાની ODI કારકિર્દીની 44મી સદી ફટકારી હતી. જોકે તે ટેસ્ટમાં કંઈ ખાસ બતાવી શક્યો નહોતો. આ પછી તેને શ્રીલંકા સામેની ઘરઆંગણે ટી20 શ્રેણીમાં આરામ આપવામાં આવ્યો છે. જો કે વિરાટ કોહલી ત્રણ વનડે સીરીઝમાં ટીમનો ભાગ છે.

વિરાટ માટે 2022 કેવું રહ્યું

પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી માટે વર્ષ 2022 મિશ્ર રહ્યું. આ વર્ષે લગભગ ત્રણ વર્ષ બાદ વિરાટના ખાતામાં બે સદી આવી. વિરાટે આ વર્ષે T20 ઈન્ટરનેશનલના એશિયા કપ દરમિયાન અફઘાનિસ્તાન સામે તેની પ્રથમ સદી ફટકારી હતી. આ પછી તેણે બાંગ્લાદેશ સામે વનડેમાં તેની 44મી સદી ફટકારી હતી.

આ વર્ષે ત્રણેય ફોર્મેટમાં તેના પ્રદર્શન પર નજર કરીએ તો તે ટેસ્ટ ક્રિકેટમાં કુલ 6 મેચમાં 26.50ની એવરેજથી માત્ર 265 રન જ બનાવ્યો હતો. આ સિવાય તેણે વર્ષ 2022માં 11 વનડે રમી હતી. આ દરમિયાન તે માત્ર 302 રન જ બનાવી શક્યો હતો જ્યારે તેણે 20 T20 મેચોમાં 781 રન બનાવ્યા હતા. આ ફોર્મેટમાં તેની સરેરાશ 55.78 છે.

3 જાન્યુઆરી શ્રીલંકા અને ભારત વચ્ચે પ્રથમ ટી-20 મેચ, જાણો કેવી રીતે જોઇ શકશો લાઇવ મેચ?

India vs Sri Lanka: નવા વર્ષની ઉજવણી બાદ હવે ભારત અને શ્રીલંકા વચ્ચે T20 સિરીઝમાં જોરદાર જંગ છે. બંને ટીમો વચ્ચે 3 જાન્યુઆરીથી ત્રણ મેચની T20 શ્રેણી શરૂ થશે. આ શ્રેણી માટે બંને ટીમોની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રોહિત શર્મા ઈજાના કારણે આ સીરીઝમાં એક્શનમાં જોવા મળશે નહીં, આ સ્થિતિમાં હાર્દિક પંડ્યા ભારતીય ટીમની કમાન સંભાળતો જોવા મળશે. ભારત અને શ્રીલંકા વચ્ચેની ટક્કર પહેલા આજે અમે તમને જણાવીશું કે તમે આ શ્રેણીની રોમાંચક મેચો ક્યારે અને ક્યાં લાઈવ જોઈ શકશો.

 

You missed