ઇડરના ગાંઠીયોલ ખાતે કિસાન ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો; પ્રાકૃતિક ખેતીથી થતાં ફાયદા સમજાવાયા
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા સમગ્ર રાજયમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે અને ખેડૂતો વધુમાં વધુ ઝીરો બજેટ ખેતીનું પ્રમાણ વધે તે માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. એટલે કે, ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે સાબરકાંઠા જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ દ્વારા તાલિમ કાર્યક્રમો યોજાય છે. જે અંતર્ગત ઇડરના ગાંઠીયોલ ખાતે કિસાન ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો હતો.પ્રાકૃતિક ખેતી અંગે સમજણ આપી
આ કાર્યક્રમમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગેની સમજ આપવાની સાથે આ ખેતી દ્વારા થતા ફાયદા જેમકે ઓછા બજેટમાં કઈ રીતે ખેતી થાય છે. આ ખેતીમાં રાસાયણિક દવાઓ કે અન્ય કોઈ જાતના રસાયણ ન વપરાતા આ ખેતી થકી ગંભીર અને જીવલેણ બીમારીઓથી ભવિષ્યની પેઢીને ઉગારી શકાશે જેવી વિગતો અંગે સમજણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બાગાયત અધિકારી વિશ્વાસ ચૌધરી, ગ્રામ સેવક એ. વી. ભગોરા, પશુધન નિરીક્ષક પી. એન. પટેલ, ડે. પ્રોજેક્ટ ડાયરેક્ટર-આત્મા મહેશ ડી. પટેલ, માસ્ટર ટ્રેનર – ચોટાસન રાકેશ બી. ચૌધરી, માસ્ટર ટ્રેનર-ચિત્રોડા અરવિંદ તેમજ આત્મા પ્રોજેક્ટ ઈડરનો સ્ટાફ અને મોટી સંખ્યામાં ખેડૂત ભાઈ- બહેનો હાજર રહ્યા હતા.