શ્વાન માટે અનોખી સેવા-ભરૂચના યુવાનોએ શહેર ના તમામ શ્વાનને દત્તક લેવાનો કર્યો નિર્ણય,જમવા થી લઇ સારવાર સુધીની જવાબદારી ઉઠાવી

સામાન્ય રીતે માનવીને ઋતુ પ્રમાણે કંઇક ને કંઇક તકલીફોનો સામનો કરવો જ પડતો હોય છે,જેમ કે ચોસામાં વરસાદી માહોલનો,શિયાળા માં ઠંડીના ચમકારા નો તેમજ ઉનાળામાં ગરમીના પ્રકોપ નો,આ જ પ્રકારે પશુઓને પણ તકલીફ પડતી હોય તેવું આપણે નજરે જોઇએ છે,પરન્તુ તેઓની આ તકલીફ ને સમજવા વારા લોકો સમાજ માં ખૂબ ઓછા હોય છે,ભાગ દોડ વારી જીવન શૈલીમાં આજે માણસ ને માણસ માટે સમય ન હોય તેમ જોવા મળતું હોય છે,તેવામાં ભરૂચના કે.જે પોલીટેક્નિક કોલેજ ના વિદ્યાર્થીઓ અને પત્રકાર મધુબેન જૈન ની એક અનૌખી પહેલ આજકાલ લોકોમાં પ્રશંસાનું કેન્દ્ર બની છે,

કોલેજ ના સ્ટુડન્ટ સાથે મળી મધુબેન જૈન દ્વારા એક ટિમ બનાવી ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી રખડતા શ્વાન માટે પોષ્ટિક ભોજન,તેઓ ના વિરામ સ્થળે સુવા માટે કોથરા મુકવા,તેમજ જો કોઈ શ્વાન બીમાર અથવા ઇજાગ્રસ્ત હોય તેઓની સારવાર કરવાની અનોખા સંકલ્પ સાથે તેઓની ટીમે કામગીરી શરૂ કરી છે,

ભરૂચ ખાતે આજ રોજ પાંચ કિલોમીટર ના વિસ્તાર માં આ ટિમ ફરી પ્રથમ શ્વાનના વિરામ સ્થળો નો સર્વે કરી તેઓની સારવાર,ભોજન અને રાત્રીના સમયે કોઇ ક વાહન આ શ્વાનોને અડફેટે ન લઇ લે માટે તેઓએ શ્વાનના ગળામાં રેડિયમ વારા પટ્ટા પહેરાવવા નો નિર્ણય લઇ તમામ શ્વાન સારી રીતે પૃથ્વી પર પોતાનું જીવન વિટાવી શકે તે માટે નો સંકલ્પ લઇ પોતાની સેવા આ ટિમ ના સભ્યો સ્વૈચ્છિક રીતે આપી રહ્યા છે,

મહત્વનું છે કે મધુ બેન જૈન અને તેમની સંસ્થા અન્ય ઇજાગ્રસ્ત પશુઓ ની પણ સારવાર અત્યાર સુધી કરતા આવ્યા છે,જે બાદ હવે તેઓએ શ્વાન પ્રત્યે પણ આ પ્રકારની અનૌખી સેવા આપવાનો નિર્ણય કર્યો છે,

You missed