સુરેન્દ્રનગર ખાતે ઇન્ચાર્જ જિલ્લા કલેકટર પી.એન.મકવાણાનાં અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ
સુરેન્દ્રનગર ઈન્ચાર્જ જિલ્લા કલેકટર પી.એન.મકવાણાનાં અધ્યક્ષસ્થાને આજે જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરીના સભાખંડમાં મળી હતી. બેઠકમાં જિલ્લા કલેકટરએ સરકારી કર્મચારી ઓનાં બાકી પેન્શન કેસો, તાબાની કચેરીઓનું નિરીક્ષણ, સરકારી લેણાંની વસૂલાત, બાકી ખાનગી અહેવાલ પૂર્ણ કરવા, લોકો ની અરજીઓનો સમયમર્યાદા માં નિકાલ કરવા સહિત અનેકવિધ મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરી જરૂરી સૂચના આપી હતી.
સંકલનની ભાગ-1ની બેઠકમાં ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાને જિલ્લા કલેકટર આવકારી જિલ્લા સંકલનની બેઠકમાં લેવામાં આવતા પ્રશ્નો વિશે માહિતગાર કર્યા હતા. આ તકે ધારાસભ્યશ્રી પ્રકાશભાઈ વરમોરાએ જિલ્લા વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ બબુબેન પાંચાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક આર.એમ રાયજાદા, પ્રાંત અધિકારી સહિત વિવિધ વિભાગના વરિષ્ઠ અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠક માં જિલ્લા પંચાયત પ્રમુખ બબુબેન પાંચાણી , જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક આર.એમ રાયજાદા, પ્રાંત અધિકારી સહિત વિવિધ વિભાગના વરિષ્ઠ અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.